ભરૂચ : 60 સાયકલીસ્ટોએ સાયકલ રેલી યોજી મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા

ભરૂચ શહેર તથા જિલ્લામાં ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે 60 જેટલા સાયકલીસ્ટો આયનોકસથી સ્ટેચ્યુ પાર્ક ખાતે આવી પહોંચ્યાં હતાં

Update: 2021-10-02 09:21 GMT

ભરૂચ શહેર તથા જિલ્લામાં ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે 60 જેટલા સાયકલીસ્ટો આયનોકસથી સ્ટેચ્યુ પાર્ક ખાતે આવી પહોંચ્યાં હતાં જયાં તેમણે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

મહાત્મા ગાંધીજીની 152મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ સાયકલીસ્ટ ગૃપના60 સભ્યોએ સાયકલ રેલી યોજી હતી. સવારે 6 કલાકે ભરૂચના ઝાડેશ્વર રોડ ખાતે આવેલ આયનોકસ મલ્ટીપ્લેક્ષથી ભરૂચ સાયકલ ગ્રુપના 60 સભ્યો સાયકલ રેલી લઈ ઝાડેશ્વર ચોકડી, નર્મદા ચોકડી, એબીસી ચોકડીથી ભોલાવ ભૃગુઋષિ બ્રિજ પરથી સેવાશ્રમ રોડ પર આવેલ સ્ટેચ્યુ પાર્ક ખાતે પહોંચ્યા હતાં. જયાં તેમણે સ્ટેચ્યુ પાર્કમાં રહેલી ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી "ભારત માતા કી જય" અને "વંદે માતરમ" ના નારા સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાયકલ રેલી યોજવાનો અન્ય હેતુ કોરોનાની મહામારી બાદ લોકોમાં સ્વાસ્થયની સલામતી અંગે જાગૃતિ આવે તે પણ હતો..

Tags:    

Similar News