ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લાથી પદયાત્રા સંઘનું આદ્યશક્તિ દેવસ્થાન અંબાજી ધામ માટે પ્રસ્થાન…

ઉમલ્લા ગામેથી આદ્યશક્તિ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજીત ઉમલ્લાથી અંબાજી પદયાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

Update: 2023-09-14 12:30 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામેથી આદ્યશક્તિ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજીત ઉમલ્લાથી અંબાજી પદયાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

સમગ્ર દેશમાંથી જ્યારે લોકો પદયાત્રા કરીને અંબાજી પહોંચી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામેથી છેલ્લા 27 વર્ષથી અંબાજી પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે. ઉમલ્લાના નવા ફળિયામાં મહાઆરતી કરી પદયાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સંઘનું તમામ આયોજન આદ્યશક્તિ દેવસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા કરવામાં આવ્યું છે. આયોજક સમિતિના જણાવ્યા અનુસાર, સંઘમાં તમામ પ્રકારની સગવડ આપવામાં આવે છે. જેવી કે જમવાની, ચા-નાસ્તો તથા રહેઠાણની ઉત્તમ સગવડ પણ સંઘ દ્વારા જ કરવામાં આવે છે. આ સંઘમાં કુલ 85 પદયાત્રીઓ સંઘમાં જોડાય અંબાજી જવા રવાના થયા હતા. આ સંઘ તા. 26મી સપ્ટેમ્બરે અંબાજી પહોંચશે અને તા. 27 સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિર ખાતે ધજા ચડાવવામાં આવશે.

Tags:    

Similar News