ભરૂચ: લાલબજાર વાલ્મિકી વાસમાં આવેલ ઘોઘારાવ મંદિરનો કરવામાં આવશે જીર્ણોધ્ધાર

મસ્ત વાલ્મિકી સમાજ, ભરૂચ છડી ઉત્સવના પ્રમુખ કમલેશ સોલંકી દ્વારા મંદિરના જીર્ણોધ્ધારના કાર્યમાં સહભાગી થવા ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી

Update: 2022-10-16 10:53 GMT

સમસ્ત વાલ્મિકી સમાજ ભરૂચના પૌરાણિક ધાર્મિક સ્થળ ઘોઘારાવ મંદિરના જીર્ણોધ્ધારનો કાર્યક્રમ લાલબજાર વાલ્મિકી વાસમાં આવેલ ઘોઘારાવ મંદિર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ડો. કૌશલ પટેલ,અજય મિશ્રા, કિશનભાઈ, તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત વાલ્મિકી સમાજ, ભરૂચ છડી ઉત્સવના પ્રમુખ કમલેશ સોલંકી દ્વારા મંદિરના જીર્ણોધ્ધારના કાર્યમાં સહભાગી થવા ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી હતી 

Tags:    

Similar News