ભરૂચ: ઝાડેશ્વર હનુમાનજી મંદિરના મહંત મોહનદાસજી ગુરુકૃત્ય ગોપાલદાસજી બ્રહ્મલીન થયા

મહંત મનમોહન દાસજી ગુરુકૃત્ય ગોપાલદાસજી છેલ્લા ઘણા વર્ષોથી ઝાડેશ્વર ખાતે આવેલા હનુમાનજી મંદિરમાં સેવા કરતા અને આશ્રમનું સંચાલન કરતાં

Update: 2021-07-16 08:23 GMT

ભરૂચના ઝાડેશ્વર ખાતે કેબલ બ્રિજ પાસે આવેલ હનુમાનજી મંદિરના મહંત મનમોહન દાસજી ગુરુકૃત્ય ગોપાલદાસજી છેલ્લા ઘણા વર્ષોથી ઝાડેશ્વર ખાતે આવેલા હનુમાનજી મંદિરમાં સેવા કરતા અને આશ્રમનું સંચાલન કરતાં સાઠે જ નર્મદા પરિક્રમા કરતા લોકોને ભોજન તથા રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ કરતા હતા છેલ્લા ઘણા સમયથી તેઓની નાદુરસ્ત તબિયત હોવાના કારણે ઘણા દિવસથી બરોડા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેઓ બ્રહ્મલીન થતાં તેઓને તેઓના નિવાસ સ્થાને ઝાડેશ્વર આવેલા હનુમાનજી મંદિર આશ્રમ ખાતે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.જેમાં ભરૂચ અમદાવાદ વડોદરા સુરત સહિતના આશ્રમથી ગુરુભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું




 


Tags:    

Similar News