ભરૂચ:અંકલેશ્વરના નવા કાંસીયા ગામની શાળામાં લાગવાયેલ સોલાર પેનલનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે લોકાર્પણ

Update: 2021-10-19 10:30 GMT

અંકલેશ્વરના નવા કાંસીયા ગામની શાળામાં યુ.પી.એલ. કંપની દ્વારા લગાવવામાં આવેલ સોલાર પેનલનું ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની યુ.પી.એલ.કંપની દ્વારા તેમની સામાજિક જવાબદારીના ભાગરૂપે વિવિધ સેવા કાર્યો કરવામાં આવે છે જેના ભાગરૂપે અંકલેશ્વર તાલુકાનાં નવા કાંસીયા ગામની શાળા ખાતે સોલાર પેનલ લગાવવામાં આવી છે. 4 કિલો વોટની સોલાર પેનલ થકી શાળામાં ઉપયોગ થતી વીજળીનો બચાવ કરી શકાશે ત્યારે આજરોજ સોલાર પેનલની અર્પણ વિધિ યોજાય હતી.

ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે આ સોલાર પેનલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુ.પી.એલ.કંપનીના વિનોદ સિંગ,અંકલેશ્વર તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ તૃપતિ જાની, અંકલેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્ર દેવધરા તેમજ ગ્રામજનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો

Tags:    

Similar News