ભરૂચ: ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ અશા માલસર નજીક નિર્માણ પામી રહેલા બ્રીજના કાર્યનું નિરીક્ષણ કર્યું
ઝઘડિયા તાલુકાના અશા માલસર નર્મદા નદીની ઉપર બ્રિજનું નિર્માણ થઇ રહ્યું છે. જે બ્રિજને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે
ઝઘડિયા તાલુકાના અશા માલસર નર્મદા નદીની ઉપર બ્રિજનું નિર્માણ થઇ રહ્યું છે. જે બ્રિજને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને થોડા સમયમાં લોકાર્પણ કરવામાં આવશે તેવું સૂત્રો પાસે જાણવા મળ્યું છે. નિર્માણાધિન બ્રિજનું કામ ચાલુ હોય જે કામનું સ્થળ નિરીક્ષણ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાએ કર્યું હતું અને કામ કરતા કામદારોને જરૂરી સૂચન તેમજ માર્ગદર્શન આપ્યું હતું. અશા મલશર બ્રિજ નિર્માણ પામશે ત્યારે 20 કિલોમીટર જેટલું અંતર ઓછુ થવાથી વાહન ચાલકોનો સમય તેમજ ઇંધણનો ખર્ચ બચી જશે તેમજ ત્રણ જિલ્લાની પ્રજાને આનો લાભ મળશે