ભરૂચ : મોરીયાણા ગામે કારની અડફેટે ખેડૂતનું મોત, પત્ની સારવાર હેઠળ

Update: 2021-08-25 11:09 GMT

ભરૂચ જિલ્લાના નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલ મોદલીયા ગામ નજીક કારની ટક્કરે ખેડૂતનું મોત નીપજ્યું છે, જ્યારે ખેડૂતની પત્નીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સમગ્ર મામલે નેત્રંગ પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલ મોદલીયા ગામના 50 વર્ષીય ખેડૂત મિનેશ પટેલ અને તેમની 47 વર્ષીય ધર્મપત્ની સમિઁષ્ટ્રા પટેલ મોટરસાયકલ નં. જીજે-૧૬-એજી-૬૦૦૨ ઉપર નેત્રંગ બજાર શાકભાજીની ખરીદી અર્થે જઈ રહ્યા હતા. તે દરમ્યાન મોરીયાણા ગામ નજીક આવેલ સુદામાની ઝુંપડી પાસે સામે છેડેથી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતા સ્વીફ્ટ ગાડી નં. જીજે-૧૬-બીબી-૩૩૮૭ના ચાલકે મોટરસાયકલ સવાર ખેડૂત દંપતીને ટક્કર મારી હતી.

સમગ્ર અકસ્માતમાં ખેડૂત મિનેશ પટેલને અને તેમની પત્ની સમિઁષ્ટ્રા પટેલને હાથ-પગ, માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ખેડૂત મિનેશ પટેલનું ગંભીર ઇજાના પગલે સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ નેત્રંગ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. મોદલીયા ગામના ખેડૂતનું કરૂણ મોત નિપજતા પરીવારના સભ્યો અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો હતો.

Tags:    

Similar News