ભરૂચ: શરદપૂર્ણિમા નિમિત્તે દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં ગરબા મહોત્સવનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા

ભરૂચની દૂધધારા ડેરી દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે પરિવારના સભ્યો માટે ગરબાનું આયોજન કરાયું હતું.

Update: 2023-10-30 10:16 GMT

ભરૂચની દૂધધારા ડેરી દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે પરિવારના સભ્યો માટે ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં સભ્યોએ હાજર રહી જગત જનની માં જગદંબાની આરાધનાનો લાભ લીધો હતો.

શરદપૂર્ણિમા નિમિત્તે આયોજકો દ્વારા અનેક સ્થળોએ રાસ ગરબાના આયોજનો કરવામાં આવે છે.જેના ભાગરૂપે ભરૂચ શહેરમાં આવેલી દૂધધારા ડેરી દ્વારા દર વર્ષે શરદપૂર્ણિમા નિમિત્તે પરિવારના સભ્યો માટે ગરબાનું આયોજન કરવામાં આવે છે.આ વર્ષે પણ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ દ્વારા ડેરીના પરિવારના સભ્યો માટે શરદપૂર્ણિમાના ગરબાનું આયોજન કરાયું હતુ. જેમાં ગરબા પહેલા મહાનુભાવો અને પરિવારના સભ્યોએ માતાજીની મહાઆરતી ઉતાર્યા બાદ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી

Tags:    

Similar News