ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા “વિશ્વ આદિવાસી અધિકાર દિવસ” નિમિત્તે રક્તદાન શિબિર યોજાય...

આદિવાસી સમાજ દ્વારા “વિશ્વ આદિવાસી અધિકાર દિવસ” નિમિત્તે ભરૂચ શહેરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2023-09-14 09:02 GMT

ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા “વિશ્વ આદિવાસી અધિકાર દિવસ” નિમિત્તે ભરૂચ શહેરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તારીખ. 13મી સપ્ટેમ્બરને આદિવાસી અધિકાર દિવસ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભરૂચ શહેરમાં આવેલ આચારજી ચાલ ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી સમાજના યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં આદિવાસી સમાજના આગેવાન હેમેન્દ્ર કોઠીવાલા અને આદિવાસી સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News