ભાવનગર શહેરના શીતળા માતાજીના મંદિર પાસેથી પસાર થઇ રહેલી બાઇકના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં બાઇક હવામાં ફુટબોલની જેમ ઉછળી હતી. ગમખ્વાર અકસ્માતમાં બાઇકચાલક યુવાનનું મોત નીપજયું છે.
તારીખ 3 જાન્યુઆરીના રોજ ભાવનગરના શીતળા માતાજીના મંદિર પાસે બનેલાં અકસ્માતના બનાવના સીસીટીવી ફુટેજ સામે આવ્યાં છે. સુભાષનગરમાં રહેતો અજય ચૌહાણ નામનો યુવાન ઘોઘા રોડ પર નાસ્તો કરવા ગયો હતો. તે શીતળા માતાજીના મંદિર નજીકથી પસાર થતો હતો ત્યારે તેણે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. પુરઝડપે આવતી બાઇક 10 ફુટનું નાળુ કુદાવીને હવામાં ફુટબોલની માફક ફંગોળાઇ હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જયાં સારવાર વેળા તેનું મોત થયું હતું.