સ્વતંત્રતા દિવસ નિમિત્તે શેરબજારમાં રજા, આજે શેરની ખરીદી-વેચાણ નહીં થાય

Update: 2023-08-15 08:04 GMT

77માં સ્વતંત્રતા દિવસના કારણે મંગળવારે શેરબજારમાં રજા છે. BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) અને NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ) પર 15મી ઓગસ્ટે ટ્રેડિંગ સંપૂર્ણપણે બંધ રહેશે. આ દરમિયાન, શેરબજારમાં કોઈ વ્યવહાર એટલે કે શેરની ખરીદી અને વેચાણ થશે નહીં. હવે બજાર આવતીકાલે એટલે કે બુધવાર (16 ઓગસ્ટ)થી ખુલશે.

BSEની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ત્રણેય ઈક્વિટી સેગમેન્ટ, ડેરિવેટિવ સેગમેન્ટ અને SLB સેગમેન્ટ આ દિવસે બંધ રહેશે. આ સાથે કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટ્રેડિંગ બંધ રહેશે.

Tags:    

Similar News