દાહોદ : નાની બાંડીબાર ગામે પિતા-પુત્રોનો સામુહીક આપઘાત, જુઓ આત્મહત્યા મામલે સ્થાનિકોએ શું કહ્યું..!

Update: 2020-12-02 13:15 GMT

દાહોદ જિલ્લાના નાની બાંડીબાર ગામમાં રહેતા પિતાએ તેના 2 સંતાનો સાથે કુવામાં કુદી આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

દાહોદ જિલ્લાના નાની બાંડીબાર ગામમાં રહેતા જયંતિ પટેલ નામના પિતાએ પોતાના 2 સંતાનો સાથે કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. જેમાં 11 વર્ષીય પુત્ર મેહુલ તેમજ 8 વર્ષીય પુત્ર યાદવ સહિતના પિતા પુત્રોએ અગમ્ય કારણોસર કુવામાં કુદી પડ્યા હતા. બનાવની જાણ થતા પરિવારજનો તેમજ સ્થાનિકોમાં ચીસાચીસ મચી હતી. જે અંગે લીમખેડા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી ગ્રામજનોની મદદથી ત્રણેયના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

નાની બાંડીબાર ગામે પિતાએ તેના 2 સંતાનો સાથે આપઘાતના પ્રયાસ દરમ્યાન તેની પત્નીને પણ કુવામાં ધકેલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેની પત્ની ત્યાથી નાસી છૂટી ગઈ હતી. જોકે પિતા અને પુત્રો કુવામાં ખાબકી મોતને વ્હાલુ કર્યુ હતું, ત્યારે લોક ચર્ચાએ એવુ પણ જોર પકડ્યું છે કે, જયંતિ પટેલ લોકડાઉનના સમયમાં તેઓ અસ્થિર મગજના થઈ ગયા હોય તેવી હરકતો કરતા હતા, ત્યારે ફરીથી જયંતિ પટેલ બિમારીનો ભોગ બન્યા હોય કે, ખોટા વિચારોના કારણે પુત્રો સાથે કુવામાં ઝંપલાવ્યા હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

Tags:    

Similar News