અમરેલી : નવરાત્રી નિમિત્તે "સમૂહ કન્યા પૂજન"નું આયોજન સંપન્ન, શાસ્ત્રોક્ત વિધિથી કરાય દીકરીઓની પૂજા...

Update: 2021-10-12 11:58 GMT

અમરેલી જિલ્લાના રાજુલા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા ખોડીયારનગર ગરબી મંડળના સંયુક્ત ઉપક્રમે નવરાત્રી નિમિત્તે સમૂહ કન્યા પૂજનના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા બાવળિયા વાડી ખોડીયારનગર ગરબી મંડળના સંયુક્ત ઉપક્રમે રાજુલા શહેરમાં કન્યા પૂજનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 9 વર્ષથી નાની 21 જેટલી બાળાઓનું પરિવારના સભ્યો દ્વારા વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ બાળાઓની આરતી ઉતારી માઁ દુર્ગાના આશીર્વાદ પણ મેળવ્યા હતા. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ઉપપ્રમુખ નિતીન પંડ્યા, બ્રહ્મ સમાજના અગ્રણી મનોજ વ્યાસ, પરશુરામ ગ્રુપના પ્રમુખ કનક જાની, સંજય જોશી, મુકેશ જોશી, ઘનશ્યામ વરુ, કોહિનૂર હોટલવાળા કિરીટ પંડ્યા, યોગેશ કાનાબાર તેમજ સમગ્ર વિસ્તારના વડીલો, આગેવાનોએ હાજરી રહી સમૂહ કન્યા પૂજનના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Tags:    

Similar News