વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 એપ્રિલે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા અંગે ચર્ચા કરશે, વિદ્યાર્થીઓને તણાવથી બચવાનો આપશે મંત્ર

પરીક્ષાઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન તણાવને દૂર કરવાનો મંત્ર આપતા જોવા મળશે.

Update: 2022-03-25 05:57 GMT

ધોરણ 10 અને 12ની બોર્ડ સહિતની અન્ય મહત્વની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન તણાવને દૂર કરવાનો મંત્ર આપતા જોવા મળશે. આ ચર્ચા હવે 1 એપ્રિલે નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં થશે.

આમાં વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો અને વાલીઓને પણ સામેલ કરવામાં આવશે. કોરોના સંકટને કારણે અગાઉ આ ચર્ચાને ગત વર્ષની જેમ વર્ચ્યુઅલ રાખવામાં આવી હતી, પરંતુ કોરોનાની સ્થિતિમાં ઝડપી સુધારો આવ્યા બાદ શિક્ષણ મંત્રાલયે આ ચર્ચા પહેલાની જેમ જ આયોજિત કરવાની જાહેરાત કરી છે. શિક્ષણ મંત્રાલયે ગુરુવારે વિદ્યાર્થીઓ સાથે પીએમ મોદીની પરીક્ષા પે ચર્ચાની તારીખની જાહેરાત કરી હતી. જેમાં વિદ્યાર્થીઓ પહેલાની જેમ જ પીએમ સાથે બેસીને પરીક્ષા અને અભ્યાસને લગતા વિષયો પર સીધા પ્રશ્નો પૂછી શકશે.

વિદ્યાર્થીઓ સાથે પીએમ મોદીની પરીક્ષાની આ ચર્ચા 2018માં શરૂ થઈ હતી. ત્યારથી દર વર્ષે તેનું આયોજન કરવામાં આવે છે. આ ચર્ચા માટે નોંધણીની કામગીરી ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, લગભગ 12 લાખ વિદ્યાર્થીઓ અને ત્રણ લાખ શિક્ષકોએ ચર્ચામાં ભાગ લેવા માટે નોંધણી કરાવી છે. આ વિદ્યાર્થીઓમાંથી એવા વિદ્યાર્થીઓની પણ પસંદગી કરવામાં આવશે, જેઓ પીએમ મોદી પાસેથી પરીક્ષા અને અભ્યાસ સંબંધિત પ્રશ્નો પૂછશે.

Tags:    

Similar News