ગાંધીનગર: ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના કૌટુંબિક ભત્રીજાએ ગળેફાસો ખાઈ કર્યો આપઘાત

Update: 2021-03-03 12:30 GMT

ગાંધીનગર સેક્ટર 29 ખાતે પ્રતાપસિંહ રાઠવાએ ઘરમાં પંખામાં દોરી વડે લટકીને આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. મરનાર પ્રતાપસિંહ રાઠવા છોટા ઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના કૌટુંબિક ભત્રીજા થાય છે.

ગાંધીનગરના સેક્ટર 29 ખાતે બ્લોક નંબર 148/5 મકાનમાં રહેતાં ૪૩ વર્ષીય પ્રતાપસિંહ પોપટસિંહ રાઠવા પરિવાર સાથે રહે છે. જેમના પરિવારમાં પત્ની અને પુત્રી છે. ગાંધીનગરના અરણ્ય ભવનમાં પ્રતાપસિંહ રાઠવા પટાવાળા તરીકે નોકરી કરતા હતા. ગઈકાલે મંગળવારે રાત્રિના જમીને પ્રતાપસિંહ ઊંઘી ગયા હતા. બુધવારની સવારે પ્રતાપસિંહની તેમના રૂમમાંથી ગળેફાંસો ખાઘેલી હાલતમાં લાશ મળી આવી હતી.

ઘરના પંખે પ્રતાપસિંહને લટકેલી હાલતમાં જોઈ પરિવારજનોએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસના પડોશીઓ દોડી આવ્યા હતા અને પ્રતાપસિંહની લાશને નીચે ઉતારી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ અંગે જાણ થતા છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા પણ દોડી આવ્યા હતા. મૃતકનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને પરિજનોના પણ નિવેદન લેવામાં આવશે અને તાપસને આગળ વધારશે.

Tags:    

Similar News