નવસારી: ખેડૂત સંમેલનમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત,ખેડૂતોને ભાજપ તરફી મતદાન કરવા અપીલ

Update: 2024-04-14 06:14 GMT

ખેડૂતએ જગતનો તાત છે અને એની મહેનતના પગલે દેશમાં ઉત્પાદન વધી રહ્યું છે એનડીએ સરકાર દ્વારા ખેડૂતો માટે લાગુ કરેલા વિવિધ પ્રોજેક્ટને પગલે ખેડૂતોને 2024 ની લોકસભા ચૂંટણીમાં પોતાના તરફ ખેંચી લાવવા માટેના વિવિધ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે જેમાં સુરત અને નવસારીના ખેડૂતોને સંગઠિત કરી સમન્વય સમિતિ બનાવવામાં આવી છે જે સમન્વય સમિતિ ખેડૂતો માટે કામ કરે છે.

નવસારીના બી.આર ફાર્મ ખાતે સુરત અને નવસારીના ખેડૂતોનું સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે ખેડૂતોને સંબોધ્યા હતા અને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી

Tags:    

Similar News