ભાવનગરમાં સર્જાયો ભયંકર અકસ્માત, ખાનગી બસ ટ્રક પાછળ ઘૂસી જતાં 2 લોકોના મોત, 5ને ઇજા....

સુરતથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસને ભાવનગરમાં અકસ્માત નડ્યો હતો.

Update: 2023-09-18 08:08 GMT

સુરતથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસને ભાવનગરમાં અકસ્માત નડ્યો હતો. ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ભાલપંથકના નિરમાના પાટીયા પાસે એક ટ્રક પાછળ બસ ઘૂૂસી જતાં બે મુસાફરોના મોત થયા હતા. તેમજ 5 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર સુરતથી દરરોજના ક્રમ મુજબ ખાનગી ટ્રાવેલ્સની બસ ઉના જવા રવાના થઈ હતી, આ બસ વહેલી પરોઢીયે ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર સનેસગામના પાટીયા પાસે પહોંચી હતી, દરમ્યાન બસ ચાલકે રોડપર ઉભેલા એક ટ્રક પાછળ બસને અથડાતા વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા, જયારે 5થી વધુ લોકોને સારવાર અર્થે 108 મારફતે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ પોલીસને તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે જરૂરી કેસ કાગળો કરી બંનેની લાશને પીએમ અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

Tags:    

Similar News