દેવભૂમિ દ્વારકા: આપના ઈશુદાન ગઢવીએ બ્રહ્મ સમાજની માંગી માફી, જુઓ શું કહ્યું

આપની જનસંવેદના યાત્રા દ્વારકા પહોંચી, ઈશુદાન ગઢવી અને પ્રવીણ રામે દ્વારકાધીશના દર્શન કર્યા.

Update: 2021-07-03 10:11 GMT

યાત્રાધામ દ્વારકામાં ઇસુદાન ગઢવી અને પ્રવીણ રામ સહિત આપના નેતા દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતા. યાત્રાધામ દ્વારકામાં જન સંવેદના યાત્રા અંતર્ગત પહોંચ્યા બાદ બ્રહ્મ સમાજ દ્વારા ગોપાલ ઇટાલિયા દ્વારા કરાયેલ ટિપ્પણી મુદ્દે માફીની માંગ કરાય હતી ત્યારે ઇસુદાન ગઢવી દ્વારા માફી માંગમાં આવી હતી.

યાત્રાધામ દ્વારકા ખાતે આજ રોજ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પહોંચેલ પૂર્વ પત્રકાર અને આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી અને પ્રવીણ રામ સહિતના નેતાઓ દ્વારકાધીશના જગત મંદિર ખાતે પહોંચે તે પહેલાં જ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગોપાલ ઇટાલિયા દ્વારા બ્રાહ્મણો પર કરાયેલ ટિપ્પણી ને લઈ ને વિરોધ કરવામાં આવ્યો અને દ્વારકામાં આવી ભૂદેવો સમક્ષ માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે ઇસુદાન ગઢવી દ્વારા કોઈ ની લાગણી દુભાઈ હોઈ તે અંગે માફી માંગ્યા બાદ દ્વારકાધીશના દર્શન કર્યા હતા. જન સંવેદના યાત્રા અંતર્ગત દ્વારકા જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ફર્યા હતા.

Tags:    

Similar News