અમરેલી : નવસારી નજીક ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા 9 લોકો પ્રત્યે મોરારી બાપુએ શોક વ્યક્ત કર્યો...

અમરેલી જિલ્લાના લાઠી ખાતે રામકથા દરમ્યાન મોરારી બાપુએ નવસારી નજીક નેશનલ હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.

Update: 2023-01-01 12:58 GMT

અમરેલી જિલ્લાના લાઠી ખાતે રામકથા દરમ્યાન મોરારી બાપુએ નવસારી નજીક નેશનલ હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.

નવસારી નજીક નેશનલ હાઈવે પર ગઈકાલે સવારે એક ખૂબ જ દર્દનાક અને કરુણ અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદથી વલસાડ તરફ યાત્રાળુઓને લઈને જતી ખાનગી અને બસ અને વલસાડ તરફથી આવતી કાર વચ્ચે ગંભીર અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, ત્યારે અમરેલીના લાઠી ખાતે રામકથા દરમ્યાન મોરારી બાપુએ નવસારી નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.

અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ 9 લોકો માટે રૂપિયા 11-11 હજારની શોક સહાય અર્પણ કરવા જણાવ્યુ હતું. બાપુએ આ અકસ્માતમાં અવસાન પામેલા લોકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે. આ ઉપરાંત પૂજ્ય બાપુએ આ ઘટનામાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી પણ પ્રાર્થના કરી છે.

Tags:    

Similar News