અમરેલી : ધારી પંથકમાં આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયો, લોકોમાં રાહત...

અમરેલી જિલ્લાના ધારી પંથકમાં દીપડાના આંટાફેરા વધતા વન વિભાગ હરકતમાં આવ્યું છે.

Update: 2023-12-07 09:58 GMT

અમરેલી જિલ્લાના ધારી પંથકમાં દીપડાના આંટાફેરા વધતા વન વિભાગ હરકતમાં આવ્યું છે.

અમરેલી જિલ્લામાં છાશવારે વન્યપ્રાણીઓ જોવા મળતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા કરે છે, ત્યારે રહેણાંક વિસ્તારમાં વધુ એક વખત વન્યપ્રાણી દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ધારી પંથકના રહેણાંકી વિસ્તારમાં દીપડાની દહેશત જોવા મળી છે. જેના પગલે ધારી વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે 8 જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા છે. જોકે, છેલ્લા એક અઠવાડિયાથી વન વિભાગ દ્વારા સાબદી નજર રખાતા ખૂંખાર દીપડો પાંજરે પુરાયો હતો. આ દીપડાનો ધારીના સરદારનગર, શિવનગર અને એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં છેલ્લા 3 માસથી ભય હતો. તો બીજી તરફ, દીપડો પાંજરે પુરાય જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Tags:    

Similar News