અંકલેશ્વર : દેસાઇ પેટ્રોલપંપ પાસે ટેન્કર નીચે કચડાઇ જતાં બાઇકસવારનું મોત

અંકલેશ્વર જીઆઇડીસી પાસે હાઇવે પર આવેલાં આવેલ દેસાઈ પેટ્રોલ પંપ પાસે ટેન્કર ચાલકે બાઈક સવારને કચડી નાખતા તેઓનું ઘટના સ્થળે જ મોત

Update: 2021-06-20 11:59 GMT

અંકલેશ્વર જીઆઇડીસી પાસે હાઇવે પર આવેલાં આવેલ દેસાઈ પેટ્રોલ પંપ પાસે ટેન્કર ચાલકે બાઈક સવારને કચડી નાખતા તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું...

અંકલેશ્વર જીઆઇડીસી પાસે હાઇવે અડીને આવેલા દેસાઇ પેટ્રોલ પંપ પાસે ટેન્કર ચાલક બાઈક સવારને કચડી ફરાર થઇ ગયો હતો. મૃતકનું નામ સરદારસિંહ બદસરા હોવાનું બહાર આવ્યું છે. અકસ્માતની જાણ કરવામાં આવતાં જીઆઇડીસી પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. અકસ્માત બાદ ટેન્કર મુકીને ટેન્કરનો ડ્રાયવર નાસી છુટયો હતો. પોલીસે સરદારસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. ફરાર થઇ ગયેલાં ટેન્કર ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યાં છે..

Tags:    

Similar News