Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 48 નવા કેસ નોંધાયા, 24 દર્દીઓ થયા સાજા

Update: 2021-12-05 15:23 GMT

રાજ્યમાં આજે કોરોનાના 48 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ 24 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,263 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. આજે 1,39,589 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 17, સુરત કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશન 4, જામનગર કોર્પોરેશનમાં 2, આણંદ 1, ભરુચ 1, ખેડા 1, કચ્છ 1, નવસારી 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 1, સુરેન્દ્રનગર 1, તાપી 1 અને વલસાડમાં 1 કોરોનાનો કેસ નોંધાયો છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 349 કેસ છે. જે પૈકી 07 વેન્ટીલેટર પર છે, જ્યારે 342 નાગરિકો સ્ટેબલ છે. 8,17,263 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10095 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.

Tags:    

Similar News