દાહોદ:મંદિરે દર્શન કરી પરત ફરી રહેલ મોપેડ સવાર દંપત્તિનું કારની અડફેટે મોત,પોલીસે તપાસ શરૂ કરી

દંપતીને પુંસરી ગામ નજીક અકસ્માત નડ્યો હતો જેમાં દંપત્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું

Update: 2023-06-25 12:47 GMT

દાહોદના જાલત ગામેથી દર્શન કરી પરત ઘરે જતા દંપતીને પુંસરી ગામ નજીક અકસ્માત નડ્યો હતો જેમાં દંપત્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ દાહોદના હનુમાન બજાર ખાતે રહેતા છોટેલાલ અગ્રવાલ તેમજ તેમની પત્ની કાંતા બેન અગ્રવાલ બન્ને પતી પત્ની દાહોદના જાલત ખાતે આવેલા લખેશ્વરી માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા અને દર્શન કરી પરત તેમના ઘરે દાહોદ ખાતેના હનુમાન બજાર ખાતે જઈ રહ્યા હતા ત્યારે દાહોદના અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવે ઉપર આવેલા આરટીઓ ચેકપોસ્ટ નજીકથી છોટેલાલ અગ્રવાલ તેમની મોપેડ ગાડીથી રોડ ક્રોસ કરી રહ્યા હતા તેવા સમયે મધ્યપ્રદેશના રાજગઢ ખાતે રહેતા જૈન પરિવાર પણ ગુજરાતના પાલીતાણા ખાતે આવેલા મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે રોડ ક્રોસ કરી રહેલા છોટેલાલ અગ્રવાલ અને તેમની પત્નીની મોપેડ ગાડીને કાર ચાલકે અડફેટે લેતા પતિ પત્નીના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અન એ તપાસ શરૂ કરી હતી  

Tags:    

Similar News