ગીર સોમનાથ : તાલાલાના 44 ગામના સરપંચો હડતાલના સમર્થનમાં, વેરાવળના તલાટીઓએ ત્રિરંગા સાથે રેલી યોજી

તાલાલાના 44 ગામના સરપંચો હડતાલના સમર્થનમાં, તલાટી મંત્રીઓની હડતાલના આઠ દિવસ વીતવા છતાં કોઈ નિરાકરણ નહીં

Update: 2022-08-11 07:58 GMT

તલાટી કમ મંત્રીઓની હડતાલ ચાલી રહી છે ત્યારે તાલાલા તાલુકાના 44 ગામના સરપંચો હડતાલના સમર્થન આગળ આવ્યા છે,તો બીજી તરફ વેરાવળના ઉંબા ઓમનાથ મહાદેવ મંદિરે તલાટી મંત્રીઓએ ત્રિરંગા રેલી સાથે સૂત્રોચ્ચાર કરી સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

છેલ્લા આઠ દિવસથી તલાટી કમ મંત્રીઓની રાજ્યવ્યાપી હડતાલ ચાલી રહી છે અને ગ્રામ પંચાયત કક્ષાએ તમામ કામગીરી ઠપ્પ પડી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર બાદ તાલાલા તાલુકાના 44 ગામના સરપંચ અને ઉપસરપંચ સહિત જિલ્લા તાલુકાના ચૂંટાયેલા સદસ્ય તલાટી મંત્રી ની હડતાલ ના સમર્થન માં આવ્યા છે અને સરકાર ને આ મુદ્દે વહેલી તકે ઉકેલ લાવવા મામલતદાર મારફતે આવેદનપત્ર આપ્યું છે. તાલાલા તાલુકાના 44 ગામના સરપંચોના પ્રતિનિધિ માવજીંજવા ગામના સરપંચ મહેશભાઈ પટાટે જણાવ્યું હતું કે, તલાટી મંત્રીઓની હડતાલના કારણે મોટી સમસ્યાઓ સર્જાય છે. ગ્રામ કક્ષાએ આવકના દાખલા આયુષ્યમાન કાર્ડ સહિતની સામાન્ય નાગરિકોની કામગીરી અટકી પડી છે.એટલું જ નહીં વિકાસના કામો પણ ખોરંભે પડી ગયા છે માટે સરકાર આ મુદ્દે સત્વરે ઉકેલ લાવે તે માટે વિનંતી કરી છે સાથે જો વહેલી તકે સરકાર કોઈ નિરાકરણ નહીં લાવે તો સરપંચ પણ આ આંદોલનમાં જોડાવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

Tags:    

Similar News