ગીર સોમનાથ : આંકોલવાડી ગામે નવનિર્મિત થનાર બસ સ્ટેશનનું રાજ્ય મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું...
ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકા આંકોલવાડી ગામે નવનિર્મિત થનાર બસ સ્ટેશનનું રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકા આંકોલવાડી ગામે નવનિર્મિત થનાર બસ સ્ટેશનનું રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યના મંત્રી અરવિંદ રૈયાણીના હસ્તે તાલાળા તાલુકાના આંકોલવાડી ખાતે અદ્યતન સુવિધાયુક્ત રૂ.૨.૫૯ કરોડ ખર્ચે નવનિર્મિત થનાર બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ઉપરાંત 1.5 લાખના ખર્ચે નિર્મિત આંગણવાડીનું પણ લોકાર્પણ કરાયું હતું, ત્યારે ચૂંટણી પહેલા આ કાર્યક્રમો પ્રી-પ્રચારના ભાગરૂપે યોજાઈ રહ્યાનું કહેવાય રહ્યું છે, ત્યારે તેના જવાબમાં અરવિંદ રૈયાણી દ્વારા ભાજપના કાર્યકરને 365 દિવસ ચૂંટણી હોય છે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ રામી વાજા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.