ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો નિર્ણય : એક જ સર્વે નંબર ધરાવતા ખેતરમાં હયાત વીજ કનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ અપાશે

વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબરના ખેતરમાં હયાત વીજ કનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવા રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે.

Update: 2023-11-17 10:21 GMT

વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબરના ખેતરમાં હયાત વીજ કનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવા રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે નૂતનવર્ષે વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબર ધરાવતા તેમના ખેતરમાં હયાત વીજ કનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. વધુમાં ઉર્જામંત્રીએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં અનેકવિધ નિર્ણયો કર્યા છે, અને જ્યારે જ્યારે જરૂર પડી, ત્યારે સરકાર હરહંમેશ ખેડૂતોના પડખે ઉભી રહી છે. વરસાદી પાણીનો ઉપયોગ કરનારને ઉર્જા વિભાગ દ્વારા ખેડૂતના ખેતરમાં વધુ એક વીજ જોડાણ આપવાના નિર્ણયના પરિણામે ખેડૂતોના પાક ઉત્પાદન વધશે અને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનશે. ખેડૂતો દ્વારા ઉર્જા મંત્રીને સરફેસ વૉટર વાપરવા ઈચ્છતા ખેડૂતોને હયાત વીજ કનેક્શન સિવાય વધું એક કનેક્શન આપવા રજૂઆત કરી હતી, જેને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે.

આ સાથે જ ઉર્જામંત્રીએ ઉમેર્યું હતું કે, આ નિર્ણયને લીધે ખેડૂતો કેનાલ, તળાવો, નદી, ખાડી, ડેમ, ચેકડેમ, સુજલામ સુફલામ્ અંતર્ગત ભરાતા તળાવો ખેત તલાવડી તેમજ અન્ય વરસાદી સ્ત્રોતો માધ્યમથી સિંચાઇ કરવા હેતુસર ખેડૂતોને વધુ એક વીજ જોડાણ મળશે. જેના પરિણામે ભુગર્ભ જળનો મોટાપાયે બચાવ થશે, અને સાથે સાથે ખેડૂતોને પણ વીજ બિલમાં બચાવ થશે. એટલું જ નહીં, કાર્બન ઉત્સર્જનમાં મોટા પાયે ઘટાડો નોંધાશે, તેમજ રાજ્યની આવકમાં પણ ફાયદો થશે તેમ તેઓએ ઉમેર્યું હતું. આ નિર્ણયને રાજ્યના ખેડૂતોએ ઉત્સાહપૂર્વક વધાવી લઈને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ઉર્જા મંત્રી કનુ દેસાઈનો આભાર વ્યકત કર્યો છે.

Tags:    

Similar News