રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 નવા કેસ નોંધાયા, 5 દર્દીઓ સાજા થયા

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડા થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 નવા કેસ નોંધાયા છે.

Update: 2022-04-14 16:09 GMT

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડા થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 10 અને ગાંધીનગર કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે આજે 5 દર્દી સાજા થયા છે. રાજ્યમાં 162 એક્ટિવ કેસ છે. જ્યારે સતત 22મા દિવસે કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી. રાજ્યનો રિકવરી રેટ ઘટીને 99.09 ટકા થયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 24 હજાર 118ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 942 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 13 હજાર 023 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 162 એક્ટિવ કેસ છે, એક પણ દર્દી વેન્ટિલેટર નથી અને તમામ 162 દર્દીની હાલત સ્થિર છે.

Tags:    

Similar News