મહેસાણા: CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગણપત વિશ્વ વિધાલયનો ૧૬મો પદવીદાન સમારોહ યોજાયો

મહેસાણામાં ગણપત વિશ્વવિધાલયનો ૧૬મો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

Update: 2023-01-06 10:15 GMT

મહેસાણામાં ગણપત વિશ્વવિધાલયનો ૧૬મો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

મહેસાણા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ૧૬માં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી તો સાથે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પદવીદાન સમારોહમાં ૪૧૭૮ વિદ્યાર્થીઓમાંથી ૨૯૫૮ વિદ્યાર્થીઓ તેમજ ૧૨૨૦ વિદ્યાર્થીનીઓને પદવી એનાયત કરાઇ હતી. તો સાથે ગણપત વિશ્વવિધાલયના ૮૮ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ પદવીદાન સમારોહ માં સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે યુનિવર્સિટીમાંથી મેળવેલું જ્ઞાન યુવાનો માટે કાયમનું ભાથું હોય છે જે હંમેશા કામ લાગે છે.આ પદવીદાન સમારોહમાં સ્વામી સચ્ચિદાનંદ,મંત્રી ઋષિકેશ પટેલ,ધારાસભ્ય મહેશ પટેલ,સરદારચૌધરીસહિતના મહાનુભાવો અને વિદ્યાર્થીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા

Tags:    

Similar News