નવસારી : કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું, પોલીસ તપાસ શરૂ

નવસારી જિલ્લાના ચીખલી ગામે આવેલ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે,

Update: 2021-10-27 06:36 GMT

નવસારી જિલ્લાના ચીખલી ગામે આવેલ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે, ત્યારે ચીખલી પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચીખલી ગામ ખાતે એપીએમસી માર્કેટ યાર્ડ નજીક આવેલ કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓ અભ્યાસર્થે આવીને રહે છે, ત્યારે એક વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો લગાવી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાના પગલે છાત્રાલય સહિત આસપાસના વિસ્તારોમાં ભારે ચકચાર મચી હતી. બનાવની જાણ થતાં જ ચીખલી પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં આ વિદ્યાર્થી મૂળ ડાંગ જિલ્લાના ચિચપાડા ગામનો હોવાનું સામે આવ્યું હતું. વિદ્યાર્થીએ છાત્રાલયના ટેરેસ પર નાયલોનની દોરી વડે ગળે ફાંસો લગાવી દીધો હતો, ત્યારે પોલીસ દ્વારા વિધાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Tags:    

Similar News