સાબરકાંઠા : તેલીબિયાં પાકના ભાવ સામે ખેડૂતોને ભારે નુકશાન, AAP દ્વારા મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવાયું

આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

Update: 2021-10-28 08:58 GMT

સાબરાકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તલોદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યુંહતું.

તલોદ શહેર ખાતે ખાદ્ય તેલનો સ્ટૉક સંગ્રહ ઉપર મર્યાદા મુકવામાં આવે તો મગફળી અને અન્ય તેલીબિયાંના પાકોના ભાવમાં ખેડૂતોને થયેલા ભારે નુકશાન અંગે આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું હતું. જેમાં ખેડૂતોની સાથે રાખીને ખેડૂત સમર્થન અને મગફળી જેવા પાકોનો સારા સારા ભાવ મળી રહે તે માટે મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાટી દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

Tags:    

Similar News