અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલના જે.બી.મોદી કેન્સર સેન્ટરમાં બ્રેસ્ટ કેન્સર અંગે યોજાયો જનજાગૃતિ કાર્યક્રમ
ઓક્ટોબર માસમાં ઠેર ઠેર સ્તન કેન્સર અંગે જાગૃતિ ફેલાવતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે બ્રેસ્ટ કેન્સર અંગે જનજાગૃતિ ચર્ચા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓક્ટોબર માસમાં ઠેર ઠેર સ્તન કેન્સર અંગે જાગૃતિ ફેલાવતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના કેમ્પસમાં આવેલ જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે સિનિયર બ્રેસ્ટ કેન્સર સર્જન ડૉ. અનેઘા ઝોપે દ્વારા બ્રેસ્ટ કેન્સર અંગે જનજાગૃતિ ચર્ચા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. અનેઘા ઝોપે દ્વારા બ્રેસ્ટ કેન્સરના લક્ષણો સહીત સ્તન કેન્સર અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જે.બી.મોદી કેન્સર સેન્ટરના તબીબો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.