દેશમાં આજે કોરોનાના 15,102 નવા કેસ નોધાયા, 278 સંક્રમિતોના થયા મોત

દેશમાં છેલ્લા 24 કલાકમાં 15,102 નવા કેસ નોંધાયા છે અને 278 સંક્રમિતોના મોત થયા

Update: 2022-02-23 04:01 GMT

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ધીમે ધીમે ખતમ થઈ રહી છે. દૈનિક કેસમાં નોધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. સતત ચોથા દિવસે કોરોનાના 20 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે.ગઈકાલની તુલનામાં આજે કોરોના કેસમાં વધારો થયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 15,102 નવા કેસ નોંધાયા છે અને 278 સંક્રમિતોના મોત થયા છે, જ્યારે 31,377 લોકો સાજા થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,64,522 થઈ છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.28 ટકા છે. ગઈકાલે દેશમાં 13,405 નવા કેસ ને 235 લોકોના મોત થયા હતા.

કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5691 કેસ નોંધાયા છે અને 10 લોકોના મૃત્યુ થયા છે તથા 10,851 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 64,403 પર પહોંચ્યો છે, જ્યારે એક્ટિવ કેસ 53,597 છે. સોમવારે કેરળમાં 4069 કેસ અને 11 લોકોના મોત થયા હતા.

Tags:    

Similar News