Breaking News:NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ નામાંકન દાખલ કર્યું, પી.એમ.મોદી સહિત દિગ્ગજ નેતાઓ રહ્યા ઉપસ્થિત

રાષ્ટ્રપતિના પદ માટે ૧૮ જુલાઈએ ઝારખંડનાં ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહાની વચ્ચે ચૂંટણી થશે.

Update: 2022-06-24 07:45 GMT

રાષ્ટ્રપતિના પદ માટે ૧૮ જુલાઈએ ઝારખંડનાં ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહાની વચ્ચે ચૂંટણી થશે. બીજેપીના નેતૃત્વવાળી એનડીએ સરકારે દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ વિપક્ષોએ યશવંત સિંહાના નામની જાહેરાત કરી છે ત્યારે આજરોજ દ્રૌપદી મુર્મુએ આજરોજ નામાંકન દાખલ કર્યું હતું. આ સમયે પી.એમ. નરેન્દ્ર મોદી,ગૃહ પ્રધાન અમિત શાહ,રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિત ભાજપ શાશિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રિય પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા. 

Tags:    

Similar News