Breaking News: દેવેન્દ્ર ફડણવીસ નહીં પરંતુ એકનાથ શિંદે હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી

દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ સંબોધી હતી. જ્યાં તેમને એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં એકનાથ શિંદેના નવા મુખ્યમંત્રી બનશે તેમ જણાવ્યું

Update: 2022-06-30 11:26 GMT

20 જૂને શરૂ થયેલી મહારાષ્ટ્રની રાજકીય ખેંચતાણ હવે ખતમ થઈ ગઈ છે.બળવાના 10 દિવસ પછી બળવાખોરના નેતા એકનાથ શિંદે ગુરુવારે મુંબઈ પરત ફર્યા છે. તેઓ અહીંથી સીધા જ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરે ગયા. શિવસેનાના સાથે બળવો કરનાર એકનાથ શિંદેને ભેટ સ્વરૂપે ભાજપે CM પદ આપ્યું છે. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સાથે રાજભવનમાં મુલાકાત બાદ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ સંબોધી હતી. જ્યાં તેમને એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં એકનાથ શિંદેના નવા મુખ્યમંત્રી બનશે તેમ જણાવ્યું. એકનાથ શિંદે આજે સાંજે 7.30 વાગ્યે CM પદના શપથ ગ્રહણ કરશે.

Tags:    

Similar News