બેંકોના ખાનગીકરણના વિરોધમાં આ તારીખથી રાષ્ટ્રીયકૃત બેંક કર્મચારીઓ હડતાળ પર
કર્મચારી મંડળ દ્વારા આગામી 23 અને 24મી ફેબ્રુઆરી દરમિયાન બેંકોના ખાનગીકરણના વિરોધમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મીઓએ રાષ્ટ્રવ્યાપી હડતાળ કરવાનો નિર્ણય લીધો છે.
કર્મચારી મંડળ દ્વારા આગામી 23 અને 24મી ફેબ્રુઆરી દરમિયાન બેંકોના ખાનગીકરણના વિરોધમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મીઓએ રાષ્ટ્રવ્યાપી હડતાળ કરવાનો નિર્ણય લીધો છે. આ હડતાળામાં રાજ્યની રાષ્ટ્રીયકૃત બેંકોની 3669 બ્રાંચોના કર્મચારીઓ પણ જોડાશે.ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીકૃત બેંકાન કર્મીઓ રાષ્ટ્રવ્યાપી હડતાળ કરવાના નિર્ણયની વ્યાપક અસર સમગ્ર રાજ્યમાં વર્તાશે.તેમજ આ બે દિવસો સુધી અંદાજીત રૂપિયા 17 હજાર કરોડના ટ્રાન્ઝેક્શન અટકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.