નિપાહ વાઇરસનો કહેર!!!! કેરળમાં નિપાહ વાયરસના કેસ વધતાં શાળા કોલેજો બંધ, 2 લોકોના મોત.....

કેરળમાં નિપાહ વાઇરસના કેશોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી નિપાહ વાયરસના 6 કેશો નોંધાયા છે.

Update: 2023-09-15 09:08 GMT

કેરળમાં નિપાહ વાઇરસના કેશોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી નિપાહ વાયરસના 6 કેશો નોંધાયા છે. જેમાંથી 3 લોકોના મોત થયા છે અને કેટલાક શંકાષ્પદ દર્દીઓ પણ મળી આવ્યા છે. આ વાયરસના ખતરાને જોતાં કેરળના પાડોશી રાજ્યો બહરે એલર્ટ થઈ ગયા છે. કર્ણાટક પોતાના નરગિકોને કેરળના જવાની સલાહ આપે છે. કેરળમાં નિપાહ વાયરસને જોતા પડોશી રાજ્ય કર્ણાટકએ આ વાયરસના ફેલાવાને રોકવા માટે સરહદી જિલ્લાઓમાં તકેદારી વધારી છે. કર્ણાટક સરકારે દક્ષિણ કન્નડ અને પડોશી રાજ્યની સરહદે આવેલા જિલ્લાઓમાં અધિકારીઓને દેખરેખને મજબૂત કરવા નિર્દેશ આપ્યો છે. કર્ણાટકના આરોગ્ય વિભાગે રાજ્ય પોલીસને જિલ્લાઓમાં પ્રવેશતા માલ સામાનના વાહનોની તપાસ કરવા અને ફળોની પણ તપાસ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને તાત્કાલિક સર્વે કરવા માટે કહેવામાં આવ્યું છે. કેરળમાં નિપાહના મામલાઓને જોતા કર્ણાટક સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે. સર્ક્યુલરમાં લોકોને કેરળના પ્રભાવિત વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળવા માટે કહેવામાં આવ્યું છે. ઉપરાંત કર્ણાટકના આરોગ્ય વિભાગે કેરળના સરહદી જિલ્લાઓના એન્ટ્રી પોઈન્ટ પર દેખરેખ સઘન બનાવી છે.

Tags:    

Similar News