દિલ્હીમાં થયો પથ્થરમારો અને ગોળીબાર, હિંસામાં બે લોકોના મોત, એક ઘાયલ....

દિલ્હીમાં ગઈકાલે બે જૂથો વચ્ચે જૂની અદાવતના કારણે પથ્થરમારો અને ગોળીબાર થયો હતો.

Update: 2023-10-10 10:03 GMT

દિલ્હીમાં ગઈકાલે બે જૂથો વચ્ચે જૂની અદાવતના કારણે પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. જેમાં એક જૂથના બે લોકોના મોત થયા હતા અને બીજા જૂથની એક વ્યક્તિ ઘાયલ થઇ હતી. અશોક વિહારના પાસે જેલરવાલા બાગમાં ગઈકાલે સાંજે બે જૂથોમાં પથ્થરમારો થયો અને એક બીજા પર ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. મળેલી માહિતી મુજબ ગેરકાયદે સટ્ટાબાજીના ધંધા પર નિયંત્રણ મેળવવા માટે હિંસા ફાટી નીકળી હતી, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઉત્તર પશ્ચિમ દિલ્હીના ડીસીપી જિતેન્દ્ર કુમાર મીનાએ જણાવ્યું કે, 'અથડામણમાં બે લોકોના મોત થયા છે, જેમની ઓળખ સાહિલ ઉર્ફે રઘુ (24) અને અજય ભુરા (25) તરીકે થઈ છે. જ્યારે અન્ય એક વ્યક્તિ રવિકાંત ઉર્ફે ડબલુ (30) ઘાયલ થયો હતો. ડબલુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બંને પક્ષો દ્વારા અશોક વિહાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બંને કેસની તપાસ બે નિરીક્ષકોના નેતૃત્વમાં શરૂ કરવામાં આવી છે.

Tags:    

Similar News