'સુપ્રિમ'ની નુપુર શર્માને ફટકાર, કહ્યું- તમારા કારણે સળગી રહ્યો છે દેશ, ટીવી પર આવીને માગો માફી

નુપુરના વકીલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તેના અસીલના જીવને ખતરો છે. આના પર જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું કે તેમને ખતરો છે કે સુરક્ષા માટે ખતરો બની ગયો છે?

Update: 2022-07-01 08:08 GMT

પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ટિપ્પણી સંબંધિત નુપુર શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટે આજે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે નુપુર વિરુદ્ધ અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન કરવા પર સખત નારાજગી વ્યક્ત કરી હતી. આકરી ટીપ્પણી કરતાં તેમણે કહ્યું કે તેમના નિવેદનથી દેશ ઉકળ્યો છે. કોર્ટે નુપુરને ટીવી પર આવીને માફી માંગવા પણ કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શું નુપુર ખતરામાં છે કે તેના નિવેદનથી દેશ ખતરામાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે પણ થઈ રહ્યું છે, અમે તેનાથી વાકેફ છીએ. જેની વિરૂદ્ધ નૂપુરે ટિપ્પણી કરી હતી તેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી નુપુર વિરુદ્ધ કંઈ થયું નથી.

નુપુરના વકીલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તેના અસીલના જીવને ખતરો છે. આના પર જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું કે તેમને ખતરો છે કે સુરક્ષા માટે ખતરો બની ગયો છે? તેણે જે રીતે સમગ્ર દેશમાં ભાવનાઓ ભડકાવી છે, દેશમાં જે થઈ રહ્યું છે તેના માટે તે એકલા જ જવાબદાર છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે નુપુર શર્માને માફી માંગવામાં અને નિવેદન પાછું ખેંચવામાં મોડું થઈ ગયું છે. નૂપુરે શરતી નિવેદન પાછું લીધું અને કહ્યું કે જો ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું. સુપ્રીમ કોર્ટે નુપુર શર્માને કહ્યું કે નુપુર શર્માએ આખા દેશની માફી માંગવી જોઈએ. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે અમે ચર્ચા જોઈ છે કે તેમને કેવી રીતે ઉશ્કેરવામાં આવ્યા હતા, પરંતુ જે રીતે તેમણે આ બધું કહ્યું અને પછી કહ્યું કે તેઓ એક વકીલ છે તે શરમજનક છે. તેણે આખા દેશની માફી માંગવી જોઈએ. સુપ્રીમ કોર્ટે નુપુર શર્મા વિરુદ્ધ દેશભરની અરજીઓ અને કેસોને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. નૂપુરના વકીલે કહ્યું કે તેમના જીવને ખતરો છે, તેથી કેસ અહીં ટ્રાન્સફર કરવામાં આવે. સસ્પેન્ડ કરાયેલા બીજેપી પ્રવક્તા નુપુર શર્માને પણ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેણીએ સસ્તી લોકપ્રિયતા અથવા રાજકીય એજન્ડા અથવા કોઈ નાપાક ઈરાદા સાથે પ્રોફેટ વિશે નિવેદનો આપ્યા હતા. નૂપુર સામેની તમામ એફઆઈઆરને ક્લબ કરવાનો ઇનકાર કરતાં જસ્ટિસ સૂર્યકાંત અને જેબી પારડીવાલાની બેન્ચે નુપુરના વકીલને અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી.

Tags:    

Similar News