દિલ્હીના નવા ઉપરાજ્યપાલ પદે વિનય કુમાર સક્સેનાને કર્યાં નિયુક્ત
અનિલ બૈજલના રાજીનામા બાદ દિલ્હીના ઉપરાજ્યપાલનું પદ ખાલી પડ્યું હતું પરંતુ હવે નવી નિયુક્તી કરી દેવાઈ છે.
અનિલ બૈજલના રાજીનામા બાદ દિલ્હીના ઉપરાજ્યપાલનું પદ ખાલી પડ્યું હતું પરંતુ હવે નવી નિયુક્તી કરી દેવાઈ છે. સોમવારે રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ દિલ્હીના નવા ઉપરાજ્યપાલ પદે વિનય કુમાર સક્સેનાની નિયુક્તી કરી છે.
વિનય કુમાર સક્સેના હાલમાં ખાદી અને ગ્રામોદ્યોગના ચેરમેન છે. વિનય કુમાર સક્સેનાએ 27 ઓક્ટોબર 2015ના રોજ ખાદી અને ગ્રામોદ્યોગના ચેરમેન તરીકેનો હોદ્દો ગ્રહણ કર્યો હતો.