હાર્દિક પંડ્યાનો ટીમમાં સમાવેશ કરાશે તો ભારતને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં ફાયદો : ઈયાન ચેપલ  

Update: 2020-06-08 06:26 GMT

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઇયાન ચેપલેનુ માનવું છે કે, ભારત વર્ષના અંતમાં જ્યારે તે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે તો તેને હાર્દિક પંડ્યાને ટીમમા સામેલ કરવો જોઇએ. કારણ કે ઓલરાઉન્ડર યજમાન ટીમની બોલિંગના કારણે પડકારનો સામનો કરવામાં હુકમનો એક્કો રહી શકે છે.

ચેપલે એક સાઇટમાં પોતાની કોલમમાં લખ્યુ છે કે, 'જો હાર્દિક પંડ્યાનો સમાવેળ કરવામાં આવે તો તેનાથી મદદ મળશે. તે વિરોધી ટીમને દબાવમાં લઇ આવવા બોલિંગનો એક વિકલ્પ બની શકે છે. જ્યારે ટીમના મેઇન બોલરને આરામ આપવાનો હોય.

પંડ્યા હાલમાં જ પીઠની ઇજામાંથી બહાર આવ્યો છે. ગત વર્ષે પંડ્યાએ પીઠનું ઓપરેશન કરાવ્યુ હતું.

Similar News