જમ્મુ-કાશ્મીર એન્કાઉન્ટર : અવંતિપુરામાં આતંકવાદી હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર નાયકુની થઈ મોત, અત્યાર સુધી 5 આતંકવાદીઓ ઠાર

Update: 2020-05-06 09:42 GMT

દક્ષિણ કાશ્મીરના અવંતિપુરામાં આતંકવાદ સામે લડતા સુરક્ષા દળોએ આજ રોજ મોટી સફળતા મેળવી છે. અવંતિપુરામાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના કમાન્ડર રિયાઝ નાયકુ સહિત અત્યાર સુધીમાં પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા છે. નાયકુની હત્યા હિઝબ માટે મોટો ફટકો માનવામાં આવી રહી છે રિયાઝ નાઈકુ નામનો હિઝબ આતંકવાદી રૂપિયા 12 લાખની બક્ષિસ સાથે ગત મંગળવારે રાત્રે તેના ગામ બેગીપોરામાં આવ્યો હતો. આ અંગે સુરક્ષા દળોને જાણ થઈ અને તેને ઘેરી લીધો હતો. તેની સાથે 2 થી 3 અન્ય આતંકવાદીઓ પણ હતા. સુરક્ષા દળોએ તેની સાથે માર્યા ગયેલા અન્ય આતંકીની ઓળખ કરી નથી. આ દરમિયાન અવંતિપુરાથી 12 કિમી દૂર શારશાલીમાં બીજી એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યાની જાણ મળેલ છે.

મળતી માહિતી અનુશાર જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેના ઘર્ષણને જોતાં તમામ પ્રકારની ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.  

Tags:    

Similar News