ચારધામ પેકીના એક પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં રિલાયન્સ ગ્રુપનાં કોકિલા બેન અંબાણીએ ભગવાન દ્વારકાઘીસના દર્શન કર્યા હતા.
જગતમંદિર માં કાળિયા ઠાકોરના દર્શન કોકિલાબેનએ શારદામઠમાં જગતગુરૂ શંકરાચાર્યમહારાજના સમાચારની પૃચ્છા કરી હતી. કોકિલાબેનની સાથે તેમના અન્ય પરિવારજનો પણ રહ્યા હતા. ભગવાન દ્વારકાધીશના દર્શન બાદ કોકિલાબેનએ જણાવ્યું હતું કે તેઓ રાજા રણછોડના દર્શન કરી ધન્યતા અનુભવે છે.