ઝઘડિયા: રાજપારડી ગામની સીમમાં પ્રેમી પંખીડા એ ઝાડ સાથે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

Update: 2019-07-10 07:16 GMT

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામનીસીમમાં એક ઝાડ ઉપર ગાળીયો બનાવી બે પ્રેમી પંખીડાઓએ જીવનને અલવિદા કહેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ઘટનાની મળતી વિગત અનુસાર ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામની સીમાં એક ઝાડ ઉપર એક યુવક અજય વસાવા અને યુવતી વૈશાલી વસાવાએ કોઇ કારણોસર ઝાડ ઉપર ગાળીયો બનાવી ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેવાની ઘટના બનવા પામી હતી. જાણવા મળ્યા પ્રમાણે છેલ્લા બે વર્ષથી આ બંન્નેવ વચ્ચે પ્રેમના અંકુર ફૂટતા બંન્નેવે એકમેકને સાથે જીવવા મરવાના કોલ આપ્યા હતા.પરંતુ કોઇ કારણોસર બંન્નેવ પ્રેમી પંખીડાઓ અચાનક એક દિવસ પહેલાંજ પોતાના ઘરેથી લાપતા બનતા બંન્નેવના પરિવારજનોએ તેમની શોધ પણ આરંભી હતી. આ ઘટનાની જાણ થતાં જ બંન્નેવના પરિવાજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.ઘટનાની જાણ રાજપારડી પોલીસને કરાતા પોલીસે બંન્નેવના મૃતદેહને નીચે ઉતારી પી.એમ.અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.

Tags:    

Similar News