પંચમહોત્સવ-૨૦૧૯: બીજા દિવસે ઉમટ્યો માનવ મહેરામણ, કિંજલ દવેના સૂરે ઝૂમ્યા લોકો

Update: 2019-12-27 09:28 GMT

પંચમહાલ જિલ્‍લા વહીવટી તંત્ર અને ગુજરાત પ્રવાસન

નિગમના સહિયારા ઉપક્રમે જિલ્લાના પાવાગઢ નજીક વડાતળાવ ખાતે આયોજિત કરેલા પાંચમા ચરણના પંચમહોત્‍સવના બીજા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. 

સહેલાણીઓએ અહીંના ક્રાફ્ટ બજાર, ફૂડ કોર્ટ, એમ્‍યુઝમેન્‍ટ પાર્કની ભરપુર રંગત માણી હતી. તેમજ સાંજના સમયે શાળાના બાળકો

અને જિલ્લાના નામી અનામી કલાકારો સાથે ગુજરાતના ખ્‍યાતનામ કલાકાર કિંજલ દવેએ સાંસ્‍કૃતિક

કાર્યક્રમમાં ગીતોની રમઝટ બોલાવી હતી. ગીતો પર લોકો મન મૂકીને ઝૂમ્‍યા હતા. 

બીજા દિવસે કાલોલના ધારાસભ્‍ય સુમનબેન ચૌહાણ સહિત

આમંત્રિતો અને મહાનુભાવોએ ઉપસ્‍થિત રહી પંચમહોત્‍સવને માણ્યો હતો. પંચમહોત્‍સવમાં આજે

ત્રીજા દિવસના સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં ખ્‍યાતનામ કલાકાર ભૂમી ત્રીવેદી પોતાની

કલાના ઓજસ પાથરશે.

Tags:    

Similar News