છેલ્લા 48 કલાકમાં આપઘાતની રાજકોટમાં 5 ઘટના બની

પાંચેય બનાવમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું

Update: 2024-01-27 15:14 GMT

રાજ્યમાં અપઘાતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે કોઈના કોઈ કારણોસર લોકો આપઘાત કરી જીવન ટૂંકાવતા હોય છે ત્યારે રાજકોટમાં છેલ્લા 48 કલાકમાં આપઘાતના જુદા જુદા પાંચ બનાવ સામે આવ્યા છે. જેમાં બેબી ડાયપર બનાવતા કારખાનામાં કારખાનેદારે ધ્વજવંદનની દોરીથી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જ્યારે સોરઠીયા પ્લોટ નજીક રહેતી શકીનાબેન શેખ ચંપકનગરમાં રહેતી સગર્ભા, રામનાથપરામાં રહેતા સનીશ શેખ તેમજ ચિત્રકૂટ પાર્કમાં રહેતા જગદીશ પરમારે આપઘાત કરી જીવન ટુંકાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પાંચેય બનાવમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. સ્વજને ભરેલા આ પગલાંથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. હાલ પોલીસે તમામની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News