ચોંકાવનારી "ઘટના" : રાજકોટમાં માત્ર 10 વર્ષની બાળકીએ ગળાફાંસો લગાવી આપઘાત કર્યો...

રાજકોટ શહેરમાં માત્ર 10 વર્ષની બાળકીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી છે.

Update: 2022-05-09 04:44 GMT

રાજકોટ શહેરમાં માત્ર 10 વર્ષની બાળકીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી છે. બાળકીએ બાથરુમમાં દુપટ્ટો બાંધીને લટકી જઈ આપઘાત કરવા પાછળનું કારણ હાલ અકબંધ છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા ન્યુ જાગનાથ પ્લોટ શેરીમાં રહેતી 10 વર્ષીય બાળકીને ગતરોજ બેભાન હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવી હતી. બાળકીના પરિજનોએ તબીબને જણાવ્યું હતું કે, બાળકીએ ગળાફાંસો ખાઈ લીધો હતો, ત્યારે ફરજ પર હાજર તબીબ પણ ચોંકી ઉઠ્યા હતા. તબીબે બાળકીને તપાસી મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતાં જ એ' ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક દોડી આવી પરિવારજનોની પૂછપરછ શરૂ કરી હતી, ત્યારે પરિજનોએ પોલીસને જણાવ્યુ હતું કે, બાળકી ગત રોજ 11.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે બાથરૂમમાં ન્હાવા ગઈ હતી. તેમના માતા ઉપરના રૂમમાં હતા, ત્યારે બાળકીએ બાથરૂમના એન્ગલ સાથે દુપટ્ટો બાંધી અંતિમ પગલું ભર્યું હતું. જોકે તેણે ક્યાં કારણોસર આ પગલું ભર્યું તેનાથી પરિવારજનો અજાણ હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News