વસંત પંચમીના અવસર આ ખાસ વાનગી પીળો પુલાવ ઘરે જ બનાવી, માતા સરસ્વતીને અર્પણ કરો

વસંતપંચમી એ વસંતઋતુમાં ઉજવવામાં આવતો પ્રથમ તહેવાર છે.

Update: 2024-02-14 09:50 GMT

વસંતના આગમન સાથે વાતાવરણ ખુશનુમા બનવા લાગે છે. મન પ્રસન્નતા અને ઉત્સાહથી ભરાઈ જાય છે. વસંતપંચમી એ વસંતઋતુમાં ઉજવવામાં આવતો પ્રથમ તહેવાર છે. આજે એટ્લે કે 14મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે બુદ્ધિ અને જ્ઞાનની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં આ તહેવારનો ઉત્સાહ જોવા મળે છે. માતા સરસ્વતીની પૂજામાં લોકો પીળા વસ્ત્રો ધારણ કરે છે અને પીળા રંગનું ભોજન અર્પણ કરે છે. આ દિવસે જર્દા પુલાવ બનાવવાની પણ ખાસ પરંપરા છે. જર્દા પુલાવ ખાવામાં જેટલો ટેસ્ટી છે તેટલો જ બનાવવામાં સરળ છે. ચાલો જાણીએ વસંત પંચમી પર જર્દા પુલાવની રેસિપી.

તે બાફેલા ચોખા, ખાંડ, સૂકા ફળો અને પીળો રંગ ઉમેરીને બનાવવામાં આવતી પરંપરાગત વાનગી છે. તેને જર્દા પણ કહેવામાં આવે છે. જેનો અર્થ થાય છે પીળો રંગ. વસંત પંચમી ઉપરાંત લગ્ન પ્રસંગે તેને સ્વીટ ડીશ તરીકે પણ પીરસવામાં આવે છે.

સામગ્રી :-

2 કપ બાસમતી ચોખા -બે કલાક પાણીમાં પલાળેલા, 2 તમાલપત્ર, 4-5 લીલી ઈલાયચી, 5-6 લવિંગ, 2 ઈંચ તજનો ટુકડો, એક ચપટી પીળો રંગ, દૂધમાં પલાળેલું થોડું કેસર, કપ કાજુ, 4 ચમચી કિસમિસ, 3 ચમચી સૂકા નારિયેળના ટુકડા, 4 ચમચી ઘી, 100 ગ્રામ ખોયા, 1.5 કપ નારંગીનો માવો, થોડું લીંબુ, જરૂર મુજબ ગોળ.

પુલાવ બનાવવાની રીત :-

સૌ પ્રથમ બાસમતી ચોખાને 2 કલાક પલાળી રાખો, ત્યાર બાદ 90 ટકા સુધી પકાવો. એક પેનમાં ઘી નાખો. તેમા તમાલપત્ર, તજ, લવિંગ, એલચી, કાજુ,નારિયેળ, કિસમિસ અને તરત જ ગોળ ઉમેરો. હવે તેને થોડીવાર પકાવો. ચોખા ઉમેરો અને ફરી એકવાર હલાવો. હવે ફૂડ કલર અને કેસર ઉમેરો અને મિક્સ કરો. છીણેલો માવો ઉમેરો.

- હવે તેમાં સંતરાની છાલ અને લીંબુનો રસ ઉમેરી હલાવો અને ગેસ બંધ કરી દો. હવે તેને એક બાઉલમાં કાઢીને માતા સરસ્વતીને પ્રસાદ અર્પણ કરો.

Tags:    

Similar News