સુરતમાં છઠપૂજાને દિવસે જ કરાઇ પુત્રની હત્યા

Update: 2018-11-14 09:25 GMT

જીવતો કરી દેશે તેવી આશાએ માતાજી પાસે મૂકી દીધો

પાંચ હજારની રકમ માટે હત્યા કરાઈ, છઠ માતા પુત્રને જીવતો કરી દેશે તેવી આશા.

રાંદેર પાલનપુર જકાતનાકા રીક્ષા સ્ટેન્ડ પાસે અસ્ત્રાનાભાઈ નીતેશ ઉર્ફ ભીખુ આદીત્ય ઠાકુરની સોમવારે મધરાત્રે રીક્ષાચાલક નવનીત ઉર્ફ રિંકુ સરોજ (રહે,એસએમસી આવાસ,ઉગત,રાંદેર)એ લોંખડનો પાઈપ મારી હત્યા કરી નાખી હતી. મરનારે 5 હજારની રકમ હત્યારા પાસેથી લેવાની નીકળતી હતી.

જેને કારણે બંન્ને વચ્ચે બોલાચાલી થઈ અને તેમાં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સના તબીબએ ઘટના સ્થળે જ તેને મૃત જાહેર કરી રાંદેર પોલીસને જાણ કરી હતી. છતાં મૃત યુવકને તેના મિત્ર રીક્ષામાં નાખી રાંદેરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયા ફરજ પરના તબીબએ અન્ય હોસ્પિટલમાં લઈ જવાની વાત કરતા મરનારના માતા-પિતા તેને ઘરે લાવી છઠપૂજા હોવાથી માતાએ મૃત પુત્રને માતાજીના દિવાનું તેલ લગાડયું છતાં કોઈ ફરક પડયો ન હતો. દોઢ કલાક પછી લાશ લઈને સિવિલમાં આ‌વ્યા હતા. રાંદેર પોલીસે હત્યારાની મંગળવારે ધરપકડ કરી હતી.

Similar News