સુરત : નવનિયુક્ત પોલીસ કમિશનર અજય તોમરે કહ્યું : ગુનેગારો સામે થશે કડક હાથે કાર્યવાહી

Update: 2020-08-03 11:27 GMT

સુરતના 22માં પોલીસ કમિશનર તરીકે અજય તોમરે સોમવારના રોજ ચાર્જ સંભાળ્યો છે. શહેરના 22માં પોલીસ કમિશનર તરીકે અજય તોમરની નિમણૂંક કરવામાં આવી છે.

સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પરંપરાગત રીતે નવા પોલીસ કમિશનર અજય તોમરનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પોલીસ બેન્ડ સાથે નવા પોલીસ કમિશનર અજય તોમરને આવકાર આપવામાં આવ્યો હતો. ઉપરાંત અધિકારીઓએ શહેરના નવા પોલીસ કમિશનર અજય તોમરને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

સુરતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાના પ્રયાસ સાથે પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યુ હતું કે, કોરોના વાયરસના વધતાં સંક્રમણ વચ્ચે લોકો શિસ્તમાં રહે, પોલીસ તરફથી લોકોને જાગૃત રહેવા અપીલ કરવામાં આવી રહી છે. ઉપરાંત આવનારા દિવસોમાં ગુનેગારો સાથે સખતાઈ અને સારા નાગરિકોને સહકાર મળી રહે તે પ્રકારે કાર્ય કરવામાં આવશે.

Tags:    

Similar News