સુરત : 18 વર્ષથી વધુ વયના લોકો માટે મહા વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ, ડોઝ લેવા લાગી લાંબી કતાર...

આઝાદી કા અમ્રુત મહોત્સવ અંતર્ગત આજથી સુરત મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં મહા વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

Update: 2022-07-15 08:09 GMT

આઝાદી કા અમ્રુત મહોત્સવ અંતર્ગત આજથી સુરત મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં મહા વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તમામ ઝોનના 140 જેટલા આરોગ્ય કેન્દ્ર પર 18 વર્ષથી વધુ વયના લોકો માટે વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

કોરોના સંક્રમણ સામે એકમાત્ર ઈલાજ સમાન રસી સાબિત થઈ રહી છે, ત્યારે સુરત શહેરમાં આજથી વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં 18 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અલગ અલગ ઝોનના 140 જેટલા આરોગ્ય કેન્દ્ર પર સવારથી જ લોકો રસી મુકાવી પોતાને સુરક્ષિત કરી રહ્યાં છે. મહાનગરપાલિકા દ્વારા અગાઉ આપવામાં આવેલ રસીકરણના 2 ડોઝ વચ્ચે 9 મહિના થયા હોય તેવી વ્યક્તિને પ્રિકોશનનો ત્રીજો ડોઝ અપાતો હતો. જોકે, હવે આ સમયગાળામાં ઘટાડો કરી 6 મહિનાનો સમય ગાળો કરવામાં આવ્યો છે. જેના કારણે રસીના લાભાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ઉપરાંત હાલના સમયે કોરોના સંક્રમણ પણ વધી રહ્યું છે, ત્યારે આ રસીકરણથી લોકોના આરોગ્યને વધુ ફાયદો થશે તેમ પાલિકાના અધિકારીએ જણાવ્યુ હતું.

Tags:    

Similar News